બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના લક્ષણો આવા હોઈ શકે છે, જાણો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : ચાંદીપુરા વાયરસ એક જીવલેણ વાયરસ છે ,જે ચાંદીપુરા વાયરલ રોગનું કારણ બને છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે. વાયરસ અને રોગ વિશે જાણો  વાઇરસ: – Rhabdoviridae કુટુંબનું છે – 1965 માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મલી આવેલ. – વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે રોગ: […]

Continue Reading

જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકસ્પદ દર્દીઓને લઈને જી.જી. હોસ્પિટલમાં કૃષિ મંત્રીએ દોડી સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો સામે આવતા જ ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા […]

Continue Reading

જામનગર પહોંચેલા અંબાણી પરિવારના નવદંપતિ અનંત રાધિકાને ઠેર ઠેર સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી ભવ્ય લગ્ન સમારોહ માં લગ્નગથિથી જોડાયા બાદ સૌપ્રથમ મંગળવારે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં નવદંપત્તિઓને આવકારવા સત્કારવા જામનગરીઓ જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ થી બેન્ડ વાજા સાથે વાંજતે ગાજતે અનંત અને રાધિકા ખાસ કારમાં સવાર […]

Continue Reading

જાજરમાન લગ્નોત્સવ બાદ જામનગરમાં આવી રહેલા અનંત અને રાધિકા અંબાણીને સત્કારવા એરપોર્ટ પર વરસતા વરસાદમાં ઉત્સાહ જોવા મળ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારના લાડલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી લગ્નગ્રંથિથી જોડાયા બાદ સૌ પ્રથમ વખત આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે એરપોર્ટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જામનગર એરપોર્ટ પર ઢોલ નગારા સાથે અંબાણી પરિવારના નવદંપતીને […]

Continue Reading

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય, ઓગસ્ટ થી ડિસેમ્બર-2024 દરમિયાન તબક્કાવાર સંભવત: 24,700 શિક્ષકોની ભરતી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

નાગપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા નાગપુર ખાતેની સરકારી પ્રાથમિક શાળામાં રાજયભરમાં શરૂ થયેલ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-ર૦ર૪ અંતર્ગત તારીખ : ર૮/૦૬/ર૦ર૪ના રોજ શ્રી નાગપુર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પી.જી.વી.સી.એલ.ના શહેર – 1ના કાર્યપાલક ઇજનેર કે. એમ. વાઘમશી તથા પી. એમ. ત્રિવેદી […]

Continue Reading

વિભાપરના સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયમાં કક્ષ પ્રમુખની ચૂંટણી..!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિદ્યાર્થીઓમાં શિક્ષણથી જ લોકશાહીના પાઠ ભણાવવા નવી પહેલ જામનગર નજીક આવેલ વિભાપર ગામમાં વિદ્યાભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા માં શરૂ કરાઈ છે. વિભાપરના શિશુ મંદિર શાળામાં ધોરણ 6 થી 9 ના ક્લાસ મોનીટર (કક્ષ પ્રમુખ)ની ચુંટણી યોજાઈ જેમાં મોડેલ મતદાન મથક,મતદાન ની વ્યવસ્થાઓ માટે અધિકારીઓ,મતદાન માટે ઇ.વી.એમ મશીન […]

Continue Reading

જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના સણોસરી, સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આંગણવાડી-બાલવાટિકા તેમજ ધો.૧ ના બાળકોને કુમકુમ તિલક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ […]

Continue Reading

રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે 10મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 06.30 થી 07.45 દરમિયાન યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંજલિ યોગ સમિતિ-રાજકોટના યોગ પ્રશિક્ષકો ગોપાલ શર્મા અને […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત યોગ દિવસની ઊજવણીમાં દિવ્યાંગ બાળકોએ યોગાભ્યાસ કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૧૫૦ કરતાં વધુ બાળકો – વાલીઓએ ઉપયોગી આસનો – પ્રાણાયામની તાલીમ લીધી છે. ઓમ ટ્રેનીંગ સેન્ટરના સહયોગથી જામનગરમાં આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં […]

Continue Reading