ધ્રોલ જોડિયા પંથકમાં ₹12 કરોડના ખર્ચે એસ.ટી.ની સુવિધાઓનું ખાતમુહૂર્ત: મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ધ્રોલ ખાતે ₹6.63 કરોડના ખર્ચે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ અને જોડિયા ખાતે ₹5.35 કરોડના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા એ જ લક્ષ્ય […]

Continue Reading

પરિમલ નથવાણીનો આજે જન્મ દિવસ, બહુમુખી પ્રતિભા વિશે જાણો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા પરિમલભાઈની અત્યાર સુધીની સફર જાણીએ… 1956માં મુંબઈ(બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ […]

Continue Reading

ગુજરાતનો દબદબો: ‘વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને રાષ્ટ્રીય સ્તરે ‘પોપ્યુલર ચોઈસ’ એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ઈતિહાસ સર્જ્યો છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ પર આધારિત ગુજરાતની ઝાંખીને ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં સતત ચોથી વખત પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. જે બદલ આજે નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં વિધિવત્ રીતે ટ્રોફી […]

Continue Reading

જામનગર દક્ષિણ વિધાનસભામાં વિકાસની વણઝાર: ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે રૂ. 133.07 લાખના કામોનું ખાતમુહૂર્ત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ફરી એકવાર વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના સક્રિય પ્રયાસોથી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર ૮ માં કુલ રૂ. ૧૩૩.૦૭ લાખ ના ખર્ચે ૧૨ જેટલા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. વિકાસ કાર્યોની વિગતવાર વિગતોની વાત કરીએ તો, ધારાસભ્ય દ્વારા આજે […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે આ વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું મહત્વકાંક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ આજે સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ) સમક્ષ રૂ. 1860 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરના વિકાસ માટેના વિવિધ પ્રકલ્પોની સાથે નાગરિકો પર નવા કરવેરાનો બોજ પણ સૂચવવામાં આવ્યો છે. […]

Continue Reading

જામનગરમાં પોલીસ ભરતીમાં છેતરપિંડી કરનાર SRP જવાન સહિત બે ઝડપાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં હાલ ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે તંત્ર કડક બન્યું છે, તેમ છતાં કેટલાક ઉમેદવારો શોર્ટકટ અપનાવતા અચકાતા નથી. જામનગર પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શારીરિક કસોટી (દોડ) દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલ SRPમાં ફરજ બજાવતા એક જવાને પોતાના મિત્ર પાસે દોડ […]

Continue Reading

જામનગર શહેર ભાજપની નવી ટીમ જાહેર, નવા ચહેરાને સ્થાન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૮ ઉપપ્રમુખો, ૮ મંત્રીઓ, ૩ મહામંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખોની નિમણૂક પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા સંગઠનના ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ તેમજ યુવા, કિસાન, મહિલા, અનુસૂચિત જાતિ, ઓબીસી, લઘુમતી જેવા તમામ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક […]

Continue Reading

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પવારનું પ્લેન ક્રેસમાં મોત : આવતીકાલે અંતિમક્રિયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવારનું આજે એક પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પ્રાઇવેટ પ્લેનમાં આ દુર્ઘટના બની હતી. બુધવારે જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. તપાસ અને બચાવ કાર્યની અપડેટ ઘટના સ્થળે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) […]

Continue Reading

દ્વારકામાં અદાણી ફાઉન્ડેશને 5 ઇ-રીક્ષા મોકલાવી..

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : યાત્રાધામ દ્વારકા ખાતે તા.27/01/2026 ના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે મંદિરના પૂજારી નેતાજી નિર્ભયરામ પૂજારી ની પ્રેરણાથી અદાણી ફાઉન્ડેશન દ્વારા મંદિરે આવનાર યાત્રિકોની સુવિધા માટે 5 (પાંચ) ઇ રીક્ષાનું દાન આપવામાં આવ્યું છે. આ 5 ઈ રિક્ષા આજે દ્વારકાધીશ જગત મંદિરના દ્વારે આવી પહોંચી હતી. આ વેળાએ […]

Continue Reading

વાત્સલ્યધામમાં ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ પામેલા ૨૭ વડીલોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર કાલાવડ હાઈવે પર આવેલા તપોવન ફાઉન્ડેશન, વીજરખી, જામનગર ખાતે “માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” માં રહેતા ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ થયેલ ૨૭ વડીલો ના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા અને ૨૭ મૂળ શ્રીમદ્ ભાગવત પારાયણ નો પ્રારંભ થયો છે. આ કથા “વર્લ્ડ રેકોર્ડ” પ્રકારની છે કારણ કે, અહીં […]

Continue Reading