વાત્સલ્યધામમાં ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ પામેલા ૨૭ વડીલોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર કાલાવડ હાઈવે પર આવેલા તપોવન ફાઉન્ડેશન, વીજરખી, જામનગર ખાતે “માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” માં રહેતા ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ થયેલ ૨૭ વડીલો ના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા અને ૨૭ મૂળ શ્રીમદ્ ભાગવત પારાયણ નો પ્રારંભ થયો છે. આ કથા “વર્લ્ડ રેકોર્ડ” પ્રકારની છે કારણ કે, અહીં […]

Continue Reading

પ્રેમ લગ્ન બાદ બેનની સામે જ બનેવીના ઘરમાં ઘૂસી મારી નાખનાર સાળો અને તેનો મિત્ર ઝડપાયો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારની વંડાફળી સ્થિત આદિનાથ એવેન્યુમાં પ્રેમ લગ્નને લઈ ઊભી થયેલી રંજિશના કારણે બનેવી નિલય કુંડલિયાની બહેનની નજર સામે નિર્મમ હત્યા કરનાર સાળા મનીષ જેરામભાઈ મોરી અને તેના મિત્ર સોહિલ સલીમભાઈ સોઢાને પોલીસે ઝડપી લીધા છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા […]

Continue Reading

જામનગરમાં પ્રેમ લગ્નની રંજિશમાં બહેનની હાજરીમાં બનેવીની સાળા અને તેના મિત્ર દ્વારા નિર્દય હત્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલા વંડા ફળી વિસ્તારમાં વસંત પંચમીના પવિત્ર દિવસે ધોળે દહાડે થયેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પ્રેમ લગ્નના મુદ્દે યુવાન પર તેની પત્નીના ભાઈ તથા તેના મિત્રએ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જામનગર શહેરમાં આવેલા […]

Continue Reading

2026થી જમીન અને મકાનની વારસાઈ માટે નવા નિયમો આવ્યા, જાણી લ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકતની વારસાઈ પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે જાન્યુઆરી 2026 થી નવા નિયમો અમલમાં આવ્યા છે. અગાઉની પ્રક્રિયામાં વારસદારોએ પંચાયત કે તલાટી પાસે અનેક ધક્કા ખાવા પડતા હતા, પરંતુ નવી ડિજિટલ સિસ્ટમ હેઠળ હવે માનવીય હસ્તક્ષેપ ઘટાડીને ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો […]

Continue Reading

શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મો વાર્ષિકોત્સવ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મો વાર્ષિકોત્સવ નિમિત્તે આર્ય આભા, તેજસ્વી વિદ્યાર્થીનીઓ અને વિશિષ્ટ ગુરૂજનો નું સન્માન કરવામાં આવ્યું હતું. આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય નો ૭૮ મો વાર્ષિકોત્સવ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગર ના […]

Continue Reading

ખેતરોમાંથી પસાર થતી વિજ લાઈનોને અટકાવવા મેદાને પડેલા તકસાધુઓને ઓળખો, ખેડૂતોના હિતેચ્છુ કે પછી…??

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ભુજ : ગુજરાતમાં ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરી વિવિધ ઉર્જા સ્ત્રોતો મારફતે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર અને કરાર કરેલ કંપનીઓ કામે લાગી છે ત્યારે કેટલાક નવા નેતા બનવાની લ્હાયમાં આંદોલનો શરૂ થયા છે. આ આંદોલન ખેડૂતોના હિતમાં…? કે પછી તકસાધુ, નવા નેતા બની ખેડૂતોના મસીહા થઈ જગ જાહેર થવા? આ […]

Continue Reading

‘વડીલ વાત્સલ્યધામ’માં ગત 7 વર્ષમાં સ્વર્ગવાસ પામેલ વડીલોના મોક્ષાર્થે”શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ‘વડીલ વાત્સલ્યધામ’માં ગત 7 વર્ષમાં સ્વર્ગવાસ પામેલ સંસ્થામાં નિવાસ કરતા હતા તેવા 27 વડીલોના મોક્ષાર્થે”શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહિતી આપવામાં આવી હતી. તપોવન ફાઉન્ડેશન દ્વારા છ વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરી 8મા વર્ષમાં માનવતા, સંવેદના અને સેવાના મહાપર્વ તરીકે […]

Continue Reading

RSS ના મોહન ભાગવતની સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખજનો સાથે વિચાર ગોષ્ઠી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂ. ડૉ. મોહન ભાગવતે ૨૦,જાન્યુઆરી,૨૦૨૬ના રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, દેશહિતનો કોઈને ઈજારો ન આપી શકાય. તે સૌનું કામ છે અને સંઘ આ […]

Continue Reading

RSS ના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનો રાજકોટમાં યુવા પ્રતિભાઓ સાથે સંવાદ 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ, બહારથી ના સમજી શકાય : પંચ પરિવર્તનના વિષયો થકી નાનાં-નાનાં કામો કરીને નાગરિકોને દેશહિતમાં યોગદાન આપવા ડૉ. મોહન ભાગવતનું આહ્વાન    સંઘને જાણવો હોય તો વીકીપીડિયામાં ન વાંચો, સંઘ-સાહિત્યને વાંચોઃ પૂ. ડૉ. મોહન ભાગવત  ઉત્કૃષ્ટ અને પ્રામાણિક રીતે દેશહિતમાં થતું કોઈપણ કાર્ય સંઘનું […]

Continue Reading

જામનગર પત્રકાર મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રે ૫૦ વર્ષ થી કાર્યરત અને સૌથી જૂની સંસ્થા એવી જામનગર પત્રકાર મંડળ દ્વારા મંડળ ના સભ્યો ના તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં આતિથ્ય રેસ્ટોરન્ટ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં ધોરણ ૧ થી ૧૨ અને તેનાથી પણ ઉચ્ચ અભ્યાસમાં સારું પરિણામ […]

Continue Reading