જામનગર જિલ્લાને ટીબી મુક્ત કરવા જિલ્લા પંચાયતમાં ટીબી મુક્ત પંચાયત વર્કશોપ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા તથા જિલ્લા વિકાસ અધિકારીવિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં ટીબી મુક્ત પંચાયત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર દ્વારા ટીબી મુક્ત પંચાયતની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લાને ટીબી મુક્ત કરવાના હેતુસર યોજાયેલ આ વર્કશોપમાં […]

Continue Reading

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ : વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુ દિલ્હી : પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય […]

Continue Reading

જામનગરમાં ટાસ્ક ફોર ઇમ્યુનાઈઝેશન કમિટીની મીટીંગ મેયરની ઉપસ્થિતિમાં મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા ખાતે મિશન ઇન્દ્રધનુષ તથા સાર્વત્રિક રસીકરણ સંદર્ભે ટાસ્ક ફોર ઇમ્યુનાઈઝેશન કમિટીની મીટીંગ કોન્ફરન્સ હોલ ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં મળી હતી. જામનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલ આ મીટીંગ નો મુખ્ય ઉદ્દેશ્ય 0 થી 23 મહિના સુધીના બાળકો તથા પાંચ વર્ષ થી ઓછી ઉંમરના બાળકો તથા સગર્ભા સ્ત્રીઓ […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણ કરશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ શુક્રવાર તા. ૨૮ જુલાઈએ બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

Continue Reading

જામનગર જિલ્લાના 8,799થી વધુ ખેડૂતોએ બાયગેસના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ પાસેથી માર્ગદર્શન મેળવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત ચેનલ તથા સોસીયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની પ્રથમ પ્રાકૃતિક […]

Continue Reading

જામનગરમાં રોડ ઉપર રમતા યુવક-યુવતીઓનો વિડીયો વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ના બેડીબંદર રોડ ઉપર જાહેરમાં રસ્તા ઉપર ગરબે રમનાર નવ લોકોના વિડીયો વાયરલ થતા જામનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રિલ્સ બનાવી રાતોરાત ચમકી જનાર કેટલાય લોકો હવે ઘેલછા ભરીયા વિડીયો બનાવવા અવનવા કરતબો કરતા હોય છે. પરંતુ ક્યારેક આવા કરતબો […]

Continue Reading

એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં ‘મેન્ટરશિપ હેન્ડસ હોલ્ડિંગ પ્રોગ્રામ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આવેલી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રથમ નંબરની અને રાજ્યમાં દ્વિતીય નંબરની મેડિકલ કોલેજનું સ્થાન ધરાવે છે. જ્યાં મહત્તમ અન્ડર ગ્રેજ્યુએટ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ તબીબી વિદ્યાર્થીઓને અલગ-અલગ વિભાગોમાં પણ સેવા આપવાની હોવાથી તેમના પર કામનું ભારણ ખૂબ રહે છે. તેથી, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય […]

Continue Reading

જામનગર ICDS શાખા દ્વારા જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધા સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારનાં પ્રયત્નોથી વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મીલેટસ વર્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધાનું આયોજન દેવરાજદેપાળ હાઇસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. દેશ-દુનિયામાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી રહ્યું છે અને પોષણયુક્ત ભોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે લોકોમાં ખાસ કરીને બાળકોમાં […]

Continue Reading

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,136 પાકા ઘર બનાવાયા, આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) ‘હાઉસિંગ ફોર ઓલ મિશન’ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 4,93,136 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય […]

Continue Reading

“મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ થશે, ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લાના અધિકારીઓ જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી તા.૯ ઓગસ્ટથી મારી માટી,મારો દેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કયા પ્રકારે આયોજન હાથ ધરી કાર્યક્રમો કરવા તે અંગે ચીફ સેક્રેટરી રાજકુમારના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી […]

Continue Reading