ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ચૂંટણી તાલીમ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લગતી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી જામનગરમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવનાર અધિકારીઓ/ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવાના કાર્યક્રમનું કલેકટરના અધ્યક્ષસ્થાને ધન્વંતરી હૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણીને અનુલક્ષણીને જામનગર જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે શિશાંગમાં પુસ્તકાલય, પ્રાર્થનાખંડનું લોકાર્પણ કર્યું, વિજરખીમાં પણ કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાધવજીભાઇ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી ગામમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહર્ત તેમજ કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રૂ. 17 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પ્રાર્થનાખંડ અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિશાંગ ગામના રહેવાસી સ્વ. ગીતાબાની યાદમાં તેમના પતિ અજિતસિંહે શિશાંગ પ્રાથમિક શાળામાં નિર્માણ […]

Continue Reading

છેલ્લો શો ફિલ્મમાં જામનગરના બાળ કલાકારે કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દુનિયા છોડી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ ‘છેલ્લો શો’માં ભૂમિકા ભજવનાર જામનગરના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે મૃત્યુ થતા તેનો પરિવાર ભાંગી પડ્યો છે. આપવામાં વસતા અત્યંત ગરીબ પરિવારમાં ઉભરી આવનાર બાળ કલાકારના અચાનક જ અવસાનથી પરિવાર પર આભ ફાટ્યું છે. ભારત તરફથી ઓસ્કાર માટે આ વર્ષની સત્તાવાર એન્ટ્રી બનેલી ‘છેલ્લો શો’ […]

Continue Reading

જોડિયાના લીંબુડા ગામે શરદપૂર્ણિમાની રાત્રીએ મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા જોડિયા પંથકના લીંબુડા ગામે શરદપૂનમની રાત્રે શ્રી લીંબુડા અંબિકા ગરબી મંડળ દ્વારા વિશેષ નાટકનું આયોજન કરાયું હતું. હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નવા મતદારો અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવવા માટે ખાસ મતદાતાઓને મતદાન માટે પ્રેરણા આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને લીંબુડા ગામમાં […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના […]

Continue Reading

આઈ.સી.ડી.એસ. જામનગર દ્વારા જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો, બાળકોમાં રહેલ નૈસર્ગિક ક્ષમતા બહાર લાવવાનો પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોનો સર્વાંગી તથા સમતોલ વિકાસ થાય તેમજ વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આપી બાળ ઉછેરમાં મદદરૂપ થવાના હેતુસર આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જાતે […]

Continue Reading

જામનગરમાં ખાણ ખનીજ ખાતા અને પોલીસની મીઠી નઝર કે શું…?, ફોરેસ્ટ વિભાગે ખનીજચોરી ઝડપી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા હરીપર મેવાસા ગામે ફોરેસ્ટ ની જગ્યામાં ગેરકાયદસર બેલા ની ખનીજ ચોરી થતી હતી જ્યાં ફોરેસ્ટ વિભાગની ટાસ્ક ફોર્સે ત્રાટકી રેઇડ પાડી ત્રણ મજૂરો ઝડપી પાડયા છે. જો કે, સંચાલક અલ્તાફ અને હુશેન ફકીર નશી છૂટયા હતા. પરંતુ આ સમગ્ર કામગીરી ફોરેસ્ટ વિભાગે કરી છે […]

Continue Reading

જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રીનું ભવ્ય આયોજન, પત્રકાર પરિષદમાં આયોજનની આછેરી ઝલક અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં લોટેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવના આયોજન પૂર્વે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જામનગરમાં અનેકવિધ સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહેલ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબાના વારસાનું જતન કરીને પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ સરગમ નવરાત્રી મહોત્સવનું જાજરમાન અને ભવ્ય […]

Continue Reading

જામનગરમાં સ્થાનિક કક્ષાએ જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા નવતર પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની સમરસ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે હોસ્ટેલમાં રહેતા અને આયુર્વેદનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલના રૂમમાં જ ચિકિત્સાલયની શરૂઆત કરી એક ઉત્કૃષ્ટ પહેલ કરી છે. આ અંગે સમરસ હોસ્ટેલમાં રહેતા સુરતના દીક્ષિત ગાંગાણી તથા ભાવનગરના અજય ઘોઘારી જણાવે […]

Continue Reading

જામનગર ITI ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી જામનગર આઈ.ટી.આઈ. ખાતે માર્ગદર્શક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્વાવલંબી ભારત અભિયાનનાં સહયોગથી “આત્મનિર્ભર ભારત” ને સાર્થક કરવા માટે NGO ના તપન લાડાણી અને ભાવેશ ઠુમ્મર દ્વારા તાલીમાર્થીઓને વ્યવસાય કરવા માટે પ્રેરણાદાયી પ્રવચન આપેલ હતું. ભારત દેશ કેવી […]

Continue Reading