દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ ગામના લોકોએ પુલ નહીં બનતા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સલાયા : (આનંદ લાલ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુબેર વિસોતરી ગામ આવેલું છે. જેના મુખ્ય માર્ગ ઉપર એક નાનો પુલ આવેલ છે. આ પુલની જગ્યા એ ઉંચો અને મોટો પુલ બનાવવા અનેકવાર ગ્રામજનોએ સરકાર ને રજૂઆત કરેલ છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. દર વર્ષે ચોમાસા દરમ્યાન વરસાદ […]

Continue Reading

ભારે વરસાદની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFના જવાનો ખડેપગે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  હવામાનવિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે એનડીઆરએફની ટીમના 24 જવાનોને કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જે અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે […]

Continue Reading

સુપોષણ યોજનાના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વિરપુર : (ભાગ્યેશ ડોબરીયા) સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામધામના ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સુપોષણ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે. પ્રજાવત્સલ અને હરહંમેશ નાના-મોટા સૌ લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત ગોરધનભાઈ ધામેલીયાને સરકારના આ સૂપોષણ […]

Continue Reading

જોડીયા તાલુકાના લક્ષ્મીપરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોંચતા યોજાયો કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જોડીયા :  સરકારનાં ૨૦ વર્ષના વિકાસ કાર્યો તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લક્ષ્મીપરા ગામે નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્યના અધ્યક્ષ સ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્ય દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. […]

Continue Reading

ધ્રોલ નજીક જાનની કાર અને એસટી વચ્ચે ગમખ્વાર અકસ્માત, કાર ચાલકનું મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ધ્રોલ નજીક વરરાજા ની કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ જામનગર હાઇવે પર જાયવા નજીક આવેલ સાઈબાબાના મંદિર પાસે બપોરે 11:30 આસપાસ અકસ્માત સર્જાયો હતો. રાજકોટ થી જામનગર ના ખીજડીયા તરફ આવતી વરરાજાની કાર GJ -3-LR -7716 અને GJ-18-Z-0450 નંબરની એસટી બસ વચ્ચે ધ્રોલ […]

Continue Reading

જામનગર તાલુકામાં 27મી જુલાઇએ શહેર મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, 16મી સુધી અરજી કરી શકાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવામાં આવે છે. આ અંતર્ગત જામનગર (શહેર) તાલુકા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ […]

Continue Reading

‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના ચોથા દિવસે જામનગરના જાંબુડામાં વિકાસકાર્યોનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને જન- જન સુધી પહોંચાડવામાં આવે છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર સહિતના કાર્યક્રમનો […]

Continue Reading

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, પરંતુ બે દિવસ વરસાદ માટે રહેજો તૈયાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લામાં આગામી 9 અને 10 જુલાઈના રેડ એલર્ટ અપાયું હતું. ત્યારે તાજેતરમાં જ મોસમ વિભાગની નવી આવેલી આગાહીને પગલે રેડ હાલ પૂરતું હટાવાયું હોવાનું નાયબ કલેક્ટર મિતેશ પંડ્યા એ જણાવ્યું છે. પરંતુ આગામી બે દિવસ જામનગર શહેર અને જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જામનગર પંથકમાં […]

Continue Reading

જામનગરમાં ભુતપુર્વ વિદ્યાથી રી–યુનીયન ગ્રુપે ભુતપુર્વ શિક્ષકોનું સન્માન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં 3 જુલાઈ, 2022ના રવિવારે સવારે મ્યુનીસીપલ સ્કૂલ તેમજ ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલના ભુતપુર્વ વિદ્યાથી રી – યુનીયન ગ્રુપ દ્વારા પોતાના ભુતપુર્વ શિક્ષકોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આગ્રહને માન આપીને પધારેલ શિક્ષકો કટારમલ, વિઠ્ઠલાણી‚ ભીખુભા ઝાલા, વેજલાણી, વિનોદીનીબેન , કનકબેન , ખુબ જ ભાવવિભોર […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થી પોપટભાઇ મોઢવાડીયાએ અહોભાવ વ્યક્ત કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના નાઘેડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયું હતુ જેમાં ઉપસ્થિત લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટની સહાય અર્પણ કરાઇ હતી. ત્યારે જામનગર તાલુકાના નાઘેડી ગામના રહેવાસી પોપટભાઈને પણ પી.એમ.જે.એ.વાય આયુષ્યમાન યોજના હેઠળ લાભો વિતરણ કરાયા હતા આ વેળાએ પોપટભાઇએ  જણાવ્યું હતુ કે મને કેન્સર […]

Continue Reading