1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજયના 52 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૈન્ય ડેઝર્ટ કોર દ્વારા સાઇકલ રેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતના વિજય નિમિત્તે “વિજય દિવસ”ના 52મા વર્ષની ઉજવણી અને યુદ્ધમાં આપણા સશસ્ત્ર દળોએ દર્શાવેલા શૌર્ય અને તેમણે આપેલા બલિદાનને માન આપવા માટે, ભારતીય સેનાના કોણાર્ક મલ્ટી મોડલ અભિયાનના ભાગ રૂપે કમાન્ડર 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ દ્વારા 09 ડિસેમ્બર 2023ના રોજ કચ્છના રણ પ્રદેશના શાંત વાતાવરણમાં […]

Continue Reading

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ 16,663 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં કન્ઝ્યુમર સેગમેન્ટમાં કુલ 1,64,81,871 સ્માર્ટ મીટર માટે અનુમતિ : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને વીજ તથા ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રીનો પ્રત્યુત્તર ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી […]

Continue Reading

કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે શરૂ : SDRFના ધોરણો મુજબ ખેડૂતોને ચૂકવાશે સહાય : મંત્રી ઋષિકેશ પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : (રેશ્મા પટેલ દ્વારા) પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર) થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ […]

Continue Reading

સાબરડેરીના શામળાજી શિતકેન્દ્રમાં દીર્ઘકાલીન સેવા નિવૃત્ત થતાં કર્મચારીનો વિદાય સન્માન સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અરવલ્લી : શામળાજીમાં ગાયત્રી માતાજી મંદિર હોલ ખાતે સાબરકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સંચાલિત શીત કેન્દ્ર,શમાળાજી ખાતે ફરજ બજાવતા કર્મચારી મહેન્દ્ર પ્રસાદ હરિભાઈ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ ભિલોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પી.સી બરંડના પ્રમુખપદે યોજાયો હતો જેમાં ,સાબરડેરીના ડિરેકટર અને ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ,બાયડના પૂર્વ ધારાસભ્ય […]

Continue Reading

IPS મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ જોવા મળી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ […]

Continue Reading

રાજ્યમાં સૌ પ્રથમ જામનગરની આ મહિલાએ ભગરી બકરીની ઓલાદની રજિસ્ટ્રેશન માટે દરખાસ્ત રજૂ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં વધુને વધુ નવી પશુ ઓલાદો સામે આવી રહી છે.જામનગર જિલ્લામાં જોવા મળતી ભગરી નામની બકરીની ઓલાદ રાજ્યની નવી પશુ ઓલાદ હોઇ સહજીવન સંસ્થા દ્વારા આ બકરીના કેરેકટરાઇઝેશનની કામગીરી પુર્ણ થતા તેના રજિસ્ટ્રેશન માટેની એપ્લીકેશન પ્રોફાઈલ તૈયાર કરીને નવી ઓલાદ તરીકે માન્યતા માટે પશુપાલન વિભાગને સુપ્રત કરવામાં આવી છે. […]

Continue Reading

કાલાવડ તાલુકાની ગ્રામ પંચાયતોમાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આજથી મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન અભિયાન અંતર્ગત તમામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં શીલાફલકમ, વીર વંદના, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન અને ધ્વજ વંદનના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. કાલાવડ તાલુકાની મકાજી મેઘપર, મોટી ભગેડી, મોટી માટલી, નાગાજર સહિત ૨૭ ગ્રામપંચાયતોમાં મુખ્ય પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

Continue Reading

બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડને અટકાવવા માટે માળખાકીય સુવિધા ઉભી કરવા રાજ્ય સરકાર આપશે સહાય: કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનેલા ચાર બેનમૂન અમૃત સરોવરો બન્યા પ્રવાસન સ્થળ 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી […]

Continue Reading

“વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે “વસુધૈવ કુટુંબકમ” એટલે કે “આખું વિશ્વ એક પરિવાર છે”ની ભારતીય ફિલસૂફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે, તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને […]

Continue Reading