જામનગરના ક્રિકેટ બંગ્લામાં ‘વિશ્વ યોગ દિવસ’ કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાની ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વર્ષ 2015 માં તા. 21 જૂનથી ‘સંયુક્ત રાષ્ટ્ર પરિષદ’ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, […]

Continue Reading

જામનગરમાં 21 જૂને ‘વિશ્વ યોગ દિવસની કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આવતીકાલે તા. 21મી જુનના રોજ 9 માં ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે, રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સુરતમાં કરવામાં આવશે. તેમજ દરેક જિલ્લાથી લઈને તાલુકા કક્ષા સુધી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જામનગરમાં જિલ્લા કક્ષાએ, મહાનગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ […]

Continue Reading

ગુજરાતના 8 મહાનગરોમાં ‘અર્બન ગ્રીન મિશન’ અંતર્ગત ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમો યોજાશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પોતાના નવતર અભિગમો અને અનેકવિધ આગવી પહેલોના પરિણામે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની પ્રેરણા આપી છે. દરેક ક્ષેત્રે રહેલી વિપુલ તકોને લક્ષ્ય રાખીને કંઇક નવું કરવાની કાર્યપદ્ધતિ ગુજરાત સરકારે અપનાવી છે. ગુજરાત સરકારની લોકકલ્યાણકારી પહેલોના લીસ્ટમાં હવે એક વધુ નામ ઉમેરાયું છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ […]

Continue Reading

જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા બીજામૃત મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાન અનુસાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા બીજામૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો પૈકી બીજામૃત એટલે કે બીજને પટ આપવાની બાબતને કેન્દ્રમાં રાખી બીજામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પધ્ધતિમાં ૧૦૦ […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ.દેવપ્રસાદજી મહારાજની જન્મદિને શુભેચ્છા મુલાકાત 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંત, સુરા અને ભક્તોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના છોટી કાશી એવા જામનગરમાં આવેલા પરોપકારી આણંદાબાવા સેવા સંસ્થા ના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજના 74માં જન્મદિવસ નિમિત્તે ગોપાલ ભુવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા અને જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા અને આણંદાબાવા સેવા સંસ્થા સેવા […]

Continue Reading

જામનગરમાં જય વછરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વછરાજ ડાડાનો મહોત્સવ, લોક ડાયરાનું પણ આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જય શ્રી ગઢવાળા ડાડા વછરાજ નું મૂળ સ્થાનક આવેલું છે, જ્યાં દર વર્ષે;અષાઢી બીજ ના પર્વની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સાથોસાથ તા ૨૦.૦૬.૨૦૨૩ ના રાત્રિના આઠ વાગ્યે નાગનાથ ગેઇટ તંબોલી માર્કેટ પાસે જય વછરાજ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે.જેની પણ […]

Continue Reading

જામનગરમાં ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ ‘કવીક રિસોર્સ ટીમ’ બનાવીને જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા પશુપાલકોને વાવાઝોડા સામે સાવચેતીના પગલાની જાણકારી આપતી માહિતી પત્રિકાનું રૂબરૂ મળીને વિતરણ કરવામાં […]

Continue Reading

અમદાવાદથી જામનગર પહોંચેલા મહિલાને 181 ની ટીમ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અમદાવાદમાં રહેતી મહિલા જામનગર આવી પહોંચતા 181ની ટીમે પરિવારને સોંપતા તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. તા-17-06-2023ના રોજ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા છે. અને તેઓ ખૂબ જ ગભરાયેલા છે. અને પોતાનું નામ કે સરનામું જણાવતા નથી. તેથી જામનગરની 181 […]

Continue Reading

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોઈ વાવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે શનિવારના રોજ કલેકટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટર બી.એ.શાહે મંત્રીને વાવાઝોડા બાદની સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન […]

Continue Reading

જામનગરમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સેવાકાર્ય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર મહાનગર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં 9 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સ્થળાંતર કરેલા 700 લોકો માટે ખાસ ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડામા આ સ્થળાંતર દરમ્યાન સેવા, સુરક્ષા અને સંસ્કારના ગુણો સાથે વિશ્વ હિન્દુ […]

Continue Reading