જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોચી, સ્વાગત કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આયોજિત તેમજ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. આ ઉપરાંત, સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ અને ધરતી કરે પુકાર પ્રાકૃતિક કૃષિ નુક્કડ- નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, કેન્દ્ર સરકાર તરફથી પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ડૉ. સુનિલ ગુપ્તા, પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ડૉ. મુકેશ કાપડીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.જીગ્નેશ પટેલ, ગ્રામ અગ્રણી સુરેશભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.