ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના ગામ અને […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપુરમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામની શાળામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેમણે સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના ‘માતૃકૃપા ફાર્મ’ની મુલાકાતે પણ ગયા […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લતીપર ગામમાં રાત્રિ વિશ્રામ બાદ ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે ઉપસ્થિત લોકો સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા, તેમજ યોગથી થતા શારીરિક અને […]

Continue Reading

લતીપરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અહીં ભોજન કરી સમરસતાના દર્શન કરાવ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને ગામના એક સામાન્ય પરિવારના ઘરે ભોજન લીધું હતું. સામાજિક સમરસતાના સંદેશ સાથે તેઓ લતીપર ગામના રહીશ સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોઈ પણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વિના, સુરેશભાઈ વાઘેલાના પરિવાર સાથે […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ જામનગરમાં આગમન : એરપોર્ટ પર સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા છે ત્યારે મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના અધ્યક્ષસ્થાને જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું લોકાર્પણ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, […]

Continue Reading

છોટાઉદેપુરમાં શંકરાચાર્યજીના સાન્નિધ્યમાં 25 આદિવાસી ભાઈ-બહેનોની ઘરવાપસી: સનાતન ધર્મ અપનાવ્યો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અને વનવાસી વિસ્તાર ગણાતા વાસણા (કોષિન્દ્રા) ગામે ગત શનિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા શારદાપીઠ દ્વારા સંચાલિત ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’નું શુભ ઉદ્ઘાટન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદહસ્તે સંપન્ન થયું હતું. ૨૫ આદિવાસી […]

Continue Reading

બારડોલીના ત્વિષા વ્યાસની રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે પસંદગી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બારડોલી : કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા રાષ્ટ્રીય પુરસ્કાર’ માટે ગુજરાતના બારડોલીના કલાકાર સુશ્રી ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની પસંદગી કરવામાં આવી છે. લોકનૃત્ય ‘ગરબા’ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ રાષ્ટ્રીય સન્માનની જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના […]

Continue Reading

જામનગરમાં દરબારગઢમાં તાજીયા નિહાળવા હકડેઠ્ઠ મેદની, રેન્જ IG એ જાત નિરીક્ષણ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં તાજીયાના જુલુસમાં માનવમેહરામણ ઉમટીયું ગઈકાલે અસુરા નિમિત્તે નારા સાથે જામનગરના રાજાશાહી વખતના દરબારગઢ અને તેના આસપાસના વિસ્તારમાં વિવિધ કલાત્મક તાજીયાઓ નીકળ્યા હતા. રોશની થી ઝગમગાટ કરતા આ તાજીયાને નિહાળવા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ખાસ જામનગર પોલીસે પણ […]

Continue Reading

વર્ષો સુધીની પીડા ભોગવ્યા બાદ માણિકીનું વનતારામાં ઈલાજ, સંભાળ અને સાર્વત્રિક સુખાકારીપૂર્ણ જીવન માટે આગમન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : 48 વર્ષથી ચાલતી માણિકીની ચાલનું દરેક ૫ગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીઘે તેના પ્રચલનને અસર થવા લાગી હતી. બીજીતરફ વધતી વયે આરોગ્યની સમસ્યાઓ, ઘામાં લાગેલો ચેપ, એક આંખમાં નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશન અને શરીરની નબળાઈની સ્થિતિએ તેની પીડા અસહ્ય કરી દીધી […]

Continue Reading