જામનગરમાં હિન્દુ સેનાએ લવ જેહાદને ઉજાગર કરતી ધ કેરેલા સ્ટોરી ફિલ્મ હિન્દુ યુવતીઓને વિનામુલ્યે દેખાડી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શુક્રવારે જામનગર માં “હિન્દુ સેના” દ્વારા “લવ જેહાદ” માટે જંગ છેડી છે એ અનુસંધાને જામનગર ની આયોનેક્સ સિનેમા માં હિન્દુ સમાજ ની હિન્દુ બહેનો દિકરીઓને ફ્રી માં “ ધ કેરેલા સ્ટોરી “ હિન્દી ફિલ્મ દેખાડવા માં આવી હતું. આ ફિલ્મ જોવા માટે જાણીતા કાજલબેન હિન્દુસ્થાની, મેયર બિનાબેન કોઠારી, RSS […]

Continue Reading

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આમરા ગામે રહેતા બાળકને જન્મથી જ બહેરાશ હોવાથી સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જામનગરની જીજી હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે બાળકની સર્જરી અને સારવાર કરવામાં આવતા બાળક હવે સાંભળવા લાગ્યું છે. જામનગર જીલ્લાના આમરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા રણછોડભાઈ મઘોડીયાનો પુત્ર વ્રજ જેમ મોટો […]

Continue Reading

જામનગર કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા રોડ સેફટી કાઉન્સિલ’ અંગેની બેઠક યોજાઈ હતી. મોટર વાહન અને અન્ય વાહનો દ્વારા થતા માર્ગ અકસ્માતો નિવારવા માટે ક્યા- ક્યા પ્રકારના પગલાં લઈ શકાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ […]

Continue Reading

જામનગરમાં બજરંગદળના કોંગ્રેસ સામે દેખાવો, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા બજરંગદળની આતંકી સંગઠન સાથે સરખામણી સામે દેશ વ્યાપી વિરોધ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ […]

Continue Reading

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 400 વિધાર્થીઓએ ‘મન કી બાત એપિસોડ’ નું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. , સોશિયલ મીડિયા અને રેડિયો જેવા માધ્યમો દ્વારા ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં, દેશભરમાં આ કાર્યક્રમનો 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના અન્વયે, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં વિધાર્થીઓએ […]

Continue Reading

જામનગરમાં વિશ્વ પશુ ચિકિત્સક દીવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે વિશ્વ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર 1962 ટીમ અને પશુ દવાખાનાની ટીમ દ્વારા જિલ્લા દરેક તાલુકામાં પશુ દવાખાનામાં પશુઓનું વકસીનેશન તેમજ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા ડૉ. અનિલ વિરાણી, કેશવ જીવાણી અને તેની ટીમ, 1962ના પ્રોજેક્ટ કોડીનેટર […]

Continue Reading

ચોરવાડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2.75 કરોડના ખર્ચે સુવિધાયુક્ત એચ.જી.અંબાણી ગર્લ્સ હાઇસ્કુલનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેની એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.2.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને શાળા વ્યવસ્થાપન સમિતીને સુપ્રત કરવામાં આવી હતી. રિલાયન્સના ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં આ શાળાના જૂના મકાનનું નવીનીકરણ કરીને અદ્યતન સંશાધનોથી તથા ફર્નિચરથી સજ્જ બનાવવામાં આવી છે અને કન્યાકેળવણીની દિશામાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. […]

Continue Reading

જામનગરના ‘આત્મા પ્રોજેક્ટ ગ્રુપ’ ના સદસ્યોએ ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની સફરને ગત તા. 30 એપ્રિલના રોજ 100 મહિના પૂર્ણ થયા હતા. એક પણ ગેરહાજરી વગર પ્રત્યેક મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ સંવાદના માધ્યમથી વડાપ્રધાનએ સમગ્ર દેશવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાનમન કી બાત દ્વારા લોકો સમક્ષ દેશના જુદા- જુદા […]

Continue Reading

જામનગરમાં ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ હતી. આ નિઃશુલ્ક શિબિરમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, અંત્યોદય યોજના, બાગાયત વિભાગ દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે કાર્યરત […]

Continue Reading

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રી નું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું […]

Continue Reading