જામનગરમાં તંત્રનું ગુપ્ત ઓપરેશન, સજૂબા સ્કૂલમાં દરગાહ પર રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યુ બુલડોઝર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સરકારી જગ્યાઓ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે દ્વારકાથી શરૂ થયેલ કાર્યવાહી વિવિધ શહેરો બાદ જામનગરમાં પણ થઈ છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા રાજાશાહી વખતની સજુબા સ્કૂલમાં કેટલાક સમયથી દરગાહ હતી જેને લઈને અનેક વખત આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થામાં આવેલ આ દરગાહને લઈને […]

Continue Reading

હિન્દુ સેના બાગેશ્વર ધામના સનાતની ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સુરત અમદાવાદ બાદ રાજકોટ ખાતે શ્રી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા વિરોધ વડોલ અને સમર્થનમાં અનેક લોકો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે હિન્દુ સેના પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીના સમર્થનમાં આવી છે અને વિરોધ કરી રહેલા જાથાના […]

Continue Reading

સૌપ્રથમવાર રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા જામનગરમાં શરૂ, સાંસદ મેયર સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજ્ય કક્ષાની ચાર દિવસીય બાસ્કેટબોલ સ્પર્ધા શરૂ થઇ છે. જેમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ઉમટી પડવાના છે. આ સ્પર્ધાનો સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં ગઈકાલથી 28 મે સુધી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ […]

Continue Reading

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશને 418 ગામોને પાણીથી સમૃદ્ધ કરવા MOU કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની જૈન સંગઠન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના 418 ગામોમાં તળાવને સરકારના સાથે રહી લોકોને જનજાગૃતિ કરી પુન:જીવિત કરવા માટે જવાબદારી સ્વીકારવામાં આવી છે, અને જામનગરના જિલ્લા કલેકટર બી.એ.શાહ સાથે તે અંગેના જરૂરી એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે. ભારતીય જૈન સંગઠન (BJS), પુના દ્વારા મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયમાં ગત […]

Continue Reading

ખેડૂતો માટે વધુ એક રાજ્ય સરકારનો નિર્ણય,1 જૂનથી રાજ્યમાં 37 કેન્દ્ર પર મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા સરકારનો નિર્ણય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી […]

Continue Reading

જામનગરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો 21મો સમૂહલગ્નોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં તાજેતરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે 21મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવ પૂર્વે 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન આજ પાવન ભૂમિ પર થયું જેનો […]

Continue Reading

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારોની વતનમાં પહોચ્યા, મંત્રી રાઘવજી પટેલે મ્હોં મીઠા કરાવી વતનમાં આવકાર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વડોદરા : પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના […]

Continue Reading

ગાંધીનગર ખાતે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના માછીમારો સ્વસ્થ રીતે માછીમારી કરી શકે અને માછીમારી કરીને આર્થિક રીતે સધ્ધર થાય તેમજ રાજયના મત્સ્ય ઉત્પાદન વધારો થાય તેવા નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ આજે રાજ્યના અનેક માછીમારો આત્મનિર્ભર બન્યા […]

Continue Reading

ગુજરાતમાં પડેલ માવઠા બાદ રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર, અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપશે : પ્રવક્તા મંત્રી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને […]

Continue Reading

જામનગરમાં બજરંગદળના કોંગ્રેસ સામે દેખાવો, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા બજરંગદળની આતંકી સંગઠન સાથે સરખામણી સામે દેશ વ્યાપી વિરોધ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ […]

Continue Reading