ભાઈબીજે રણુજામાં રામાપીરને અન્નકોટ, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરના કાલાવડ પાસે આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભગવાન રામદેવપીરને ખાસ બીજના અન્નકોટના દર્શન પણ યોજાયા હતા.

આ ઉપરાંત મહા આરતી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

હાલ દિવાળી અને નૂતન વર્ષના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ધર્મસ્થળોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તેવા સમયે બીજ નિમિત્તે જામનગરના કાલાવડ નજીક આવેલા રણુજા ધામમાં પણ ભગવાન રામદેવપીરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.