ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજનમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ :

આવતીકાલે શ્રીખોડલધામ કાગવડના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુલી સહભાગી થશે.

શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજન અને સપ્તમ પાટોત્સવમાં કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહભાગી થશે.

અયોધ્યાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ મહાસભાને સવારે ૧૧ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે. શ્રી ખોડલધામ પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના નેતાઓ તેમજ સર્વ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો હાજર રહેશે.