જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્ય સ્તરે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા પર ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગર કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 11 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ જાતે જ ઉપસ્થિત રહયા હતા. તેમજ અરજદારોને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ મામલતદાર હિતેન રામાવત, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા..