જુનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં જામનગર વિભાગ – મહાનગરના હોદેદારો વરાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જૂનાગઢ ખાતે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર વિભાગ અને મહાનગરના પદાધિકારીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી રહ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના અધ્યક્ષ પદે ભરતભાઈ ડાંગરીયા, જામનગર વિભાગ સહમંત્રી પદે ધર્મેશભાઈ ગોંડલીયા, માતૃશક્તિ માં પ્રાંત સહસંયોજીકા તરીકે હિનાબેન અગ્રાવત, જામનગર મહાનગરના ઉપાધ્યક્ષ તરીકે વિજયભાઈ બાબરીયા,જીલ્લા ઉપાધ્યક્ષ પદે પ્રફુલાબેન અગ્રાવત, જીલ્લા મંત્રી તરીકે હેમંતસિંહ જાડેજા, સહમંત્રી તરીકે સુરેશભાઇ ગોંડલીયા, બંજરગ દળ મહાનગરના

સહસંયોજક તરીકે ધુમીલ લંબાટે અને જીલ બારાઈ, દુર્ગાવાહિનીમાં મહાનગર સહ સંયોજીકા તરીકે કોમલબેન ધનવાણી, રીનાબેન નાનાણી, માતૃશકિતમાં જીલ્લા સહસંયોજીકા તરીકે ભાવનાબેન મણિયાર અને ભગીરથીબેન (ટીકુબેન) અજા, અલ્કાબેન ટંકારીયા, દુર્ગાવાહિની જામનગર ગ્રામ્યમાં સયોજિકા તરીકે રીનાબેન વાળાની નિયુક્તિ કરવામાં આવી હતી.

જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદની પ્રાંત બેઠકમાં જામનગરના વતની અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી, જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારાપરા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા અને બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, દુર્ગાવાહિનીના સંયોજિકા અને પ્રાંત ટોળીના સદસ્ય કૃપાબેન લાલ, સ્વરૂપબા જાડેજા સહિતના હોદ્દેદાર અગ્રણીઓએ જોડાઈ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. અને બેઠક દરમિયાન નવી ટીમ સાથે જામનગર વિભાગ અને મહાનગરના હોદ્દેદારોએ ભવનાથ મહાદેવના દર્શન પણ કર્યા હતા.