કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કુનડ ગામે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ કુંડલિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં પીપળો અને વડના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ ગ્રામસભા યોજીને જનતાને માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના સદસ્યઓ, નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જોડીયા મામલતદાર ડાભી, આજુબાજુના ગામમાંથી આવેલા પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં કુનડના ગ્રામજનો હાજર રહ્યા હતા.