જામનગરના કિશોરને મિત્રોએ જ સજાતીય સંબધમાં અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

ક્રાઈમ સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં અરેરાટી પ્રસરાવતી ઘટના સામે આવી છે. કિશોરનું બાઇકમાં અપહરણ કરી મિત્રોએ જ જામનગરની બહાર નિર્જન સ્થળે હત્યા નીપજાવી હોવાથી ઘટના પ્રકાશમાં આવી છે.

જામનગર શહેર અને સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરાવે તેવી ઘટના સામે આવી છે. જામનગરના ગુલબનગર વિસ્તાર પાસે આવેલ મોહનગર આવાસમાં રહેતા અને ધો. 11 માં અભ્યાસ કરતાં એક કિશોરનું અપહરણ ગઈકાલે બપોરે થયા પછી તેનો મૃતદેહ જામનગરની ભાગોળે બે ભાઈના ડુંગર નજીકથી નિર્જન જગ્યામાંથી મળી આવતાં ભારે ચકચાર પ્રસરી છે.

પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. પ્રાથામિક તપાસમાં આ ધૃણાસ્પદ કૃત્ય હત્યાનો ભોગ બનનાર કિશોરને શુભમ કિશોરભાઈ પરમાર અને કુશાલ મનીષભાઈ બારડ નામના બંને મિત્રોએ અપહરણ કરી આકર્ષણ અને સજાતીય સંબંધ ને લઈને મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર 15માં બ્લોક નંબર 302 માં રહેતા અને કેટરર્સમાં નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા ના 17 વર્ષના પુત્ર નું અપહરણ કરાયું હતું ગઈકાલે બપોરે 1.00 વાગ્યે ધો. 11 માં અભ્યાસ કરતો ગોપાલભાઈ નો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો.

પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે સીટી એ. ડિવિઝન નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહન નગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આથી પોલીસે ઝીણવટ ભરી તપાસના અંતે બાળકને અપહરણ કરી જનારના ફૂટેજ ના આધારે તેમની ઓળખ મેળવી લીધી હતી, અને અપહરણકારો અને બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન જામનગરની ભાગોળે લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ જતા માર્ગ નજીક મોરકંડા સામેના ભાગમાં આવેલા હરવા-ફરવાના ધાર્મિક સ્થાન બે ભાઈના ડુંગર નજીક નિર્જન વિસ્તારમાંથી અપહ્યુત બાળકનો હત્યા કરાયેલો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો.

હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી.જી. હોસ્પિટલમાં મોકીલ આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ચકચાર જગાવનારી આ ધૃણાસ્પદ ઘટનામાં શંકાના દાયરામાં રહેલા હત્યાનો ભોગ બનનાર કિશોરના બે મિત્રોને પણ પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.