જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સત્કાર સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો આ સત્કાર સન્માન સમારોહમાં બાલમંદિર થી માંડી સ્નાતક સુધીના વિદ્યાર્થીઓએ કરેલ સારા દેખાવને લઈને તેમને પ્રોત્સાહિત કરવા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જામનગરના હર્ષદ મિલ ની ચાલી પાસે આવેલા ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી ખાતે વિદ્યાર્થી સરકાર સમારોહમાં સમાજના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, વિદ્યાર્થી સન્માન સમારોહના દાતા વિનોદભાઈ ચૌહાણ અને રમણીકભાઈ ચૌહાણ ઉપરાંત જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં વસતા ગુર્જર પ્રજાપતિ સમાજના 350 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને વધુને વધુ આગળ વધે તેમજ જ્ઞાતિ તેમજ રાષ્ટ્રના હિતમાં ભણતર અને ગણતર સાથે નવી દિશાઓ સર કરે તેવી ઉપસ્થિત અગ્રણી શ્રેષ્ઠીઓ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.