મોડપરમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના સમસ્ત ગ્રામજનો અને ગ્રામ પંચાયતની વિનંતિ સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મંગળેશ્વર મહાદેવના ભવ્ય નવનિર્મિત મંદિરનું બાંધકામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરાયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં થયેલા શિલાન્યાસ સમારંભથી લઈને તાજેતરમાં થયેલાં હસ્તાંતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં […]

Continue Reading

ભગવાન વેંકટેશ્વરની સાનિધ્યમાં મુકેશ અંબાણી પહોંચ્યા, સેવાઓની સરવાણી અવિરત રાખવાની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, તિરુપતિ : ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની નમ્ર સેવાને ચાલુ રાખતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ […]

Continue Reading

ગિરની સિંહ બેલડી જય અને વિરુ ભલે વિખૂટી પડી, પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે : પરિમલ નથવાણી 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ […]

Continue Reading

વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તંત્ર સજ્જ, જુઓ આ રસ્તાઓ ડાયવર્ટ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : તા.૦૧ માર્ચના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા.૨ માર્ચ સાંજે ૬:૦૦ કલાક સુધી લાલપુર બાયપાસ થી મેઘપર પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાયપાસથી સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે જામનગર જિલ્લામાં આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વધારી રહ્યા છે અને વડાપ્રધાન મોદી […]

Continue Reading

પશુ સારવાર માટે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા આધુનિક સુવિધાઓ સાથે સેવા યજ્ઞ, દોઢ લાખથી વધુ પશુઓની સારવાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરી નજીકના ગામો અને ત્યારબાદ ઉત્સાહી નિષ્ઠાવાન પશુ પાલકોને મદદરુપ થવા અન્ય દૂરનાં ગામોમાં પણ રિલાયન્સ વેટરનરી હોસ્પિટલના માધ્યમથી પશુ આરોગ્ય અને પશુ જાળવણી આનુષાંગિક તમામ બાબતોને આવરી લેતી સર્વગ્રાહી પ્રવૃત્તિ ચાલી […]

Continue Reading

જામનગરમાં રિલાયન્સે STની બંધ બસમાં CSR અંતર્ગત ગરીબ બાળકો માટે મોબાઈલ આંગણવાડી શરૂ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લાના અતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને પોતાના વિસ્તારમાં જ મોબાઈલ આંગણવાડી માધ્યમથી સાક્ષરતા માટે રિલાયન્સ પરિવાર દ્વારા સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે. બાળકોનો પાયો પાકો કરવા માટે આંગણવાડી મહત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી બે એસટી બસને વેસ્ટ […]

Continue Reading

રિલાયન્સ ફાઉન્ડેશનના ‘પ્લાન્ટ4લાઇફ અભિયાન, જામનગર જિલ્લામાં 15 હજાર વૃક્ષોના ઉછેરનો પ્રારંભ  

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી આવતીકાલ માટે ઝુંબેશ અંતર્ગત ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ તા. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર ખાતેની રિલાયન્સ રિફાઈનરી દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના […]

Continue Reading

ચોરવાડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2.75 કરોડના ખર્ચે સુવિધાયુક્ત એચ.જી.અંબાણી ગર્લ્સ હાઇસ્કુલનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેની એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.2.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને શાળા વ્યવસ્થાપન સમિતીને સુપ્રત કરવામાં આવી હતી. રિલાયન્સના ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં આ શાળાના જૂના મકાનનું નવીનીકરણ કરીને અદ્યતન સંશાધનોથી તથા ફર્નિચરથી સજ્જ બનાવવામાં આવી છે અને કન્યાકેળવણીની દિશામાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. […]

Continue Reading

બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરના હસ્તે શ્રીમતી વર્ષા નથવાણીની હાજરીમાં એઝ્યોર સલૂન એન્ડ નેઇલ્સ લોન્ચ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અમદાવાદમાં બોલિવૂડ દીવા જાન્હવી કપૂરે આજે પ્રહલાદનગર વિસ્તારમાં એઝ્યુર સલૂન અને નેઇલ્સની ચોથી પ્રીમિયમ ફ્રેન્ચાઈઝીને અતિથિ વિશેષ શ્રીમતી વર્ષા નથવાણી અને એઝ્યુર સલૂન અને નેઇલ્સના સ્થાપક અને સીઈઓ કૃપા લિમ્બાચીયાની હાજરીમાં લોન્ચ કરી હતી. બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે આ પ્રીમિયમ સલૂન સર્વિસ ફ્રેન્ચાઈઝીના લોન્ચ પર ખુશી વ્યક્ત કરી હતી. […]

Continue Reading

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે ધનરાજ નથવાણીની બિનહરીફ વરણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 86 મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન નવા હોદ્દેદારોની પરણી કરવામાં આવી છે. પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા બન્યા છે. ગુજરાતમાં ક્રિકેટ એસોસિએશનની 86 મી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં બીસીસીઆઈના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તેમજ icc ના ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના પ્રમુખ […]

Continue Reading