જામનગર કલેકટર કચેરીથી કલેકટર સહિતના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈ વાવાઝોડાની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગાંધીનગરમાં ચીફ સેક્રેટરી રાજ કુમારના અધ્યક્ષસ્થાને ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન બાદ કરવામાં આવેલી કેશડોલ્સ ચુકવણીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કરવામાં આવેલી કામગીરી અને ત્યારબાદ થયેલી કામગીરીની ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ચીફ સેક્રેટરીએ સંલગ્ન જિલ્લા ક્લેક્ટરઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ બાકી રહેલી જરૂરી […]

Continue Reading

જામનગર કલેકટરે 3 અનસંગ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશના આઝાદી સંગ્રામમાં જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોનું સન્માન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં 27 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ યોગદાન આપ્યું હતું. જેમાંથી 3 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું જિલ્લા કલેકટર બી. એ. શાહ દ્વારા સન્માન કરવામાં […]

Continue Reading

જમીન માપણી સહિતના પ્રશ્નોના નિવારણ માટે DILRના અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યા આદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે હેતુથી જિલ્લા કલેક્ટર બી.એ.શાહ તથા ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, કમી જાસ્તી પત્રકની વિગતો વગેરે બાબતે ચર્ચા […]

Continue Reading

શિક્ષણ વંચિત કન્યાઓ માટે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝનો ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’ આશીર્વાદરૂપ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં ચાલી રહેલા ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નાં ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નો લાભ લઈને 160 જેટલી વિદ્યાર્થીનીઓ ધોરણ 10ની પરિક્ષા પાસ કરીને ઉચ્ચ શિક્ષણ, નોકરી કે પોતાના સ્વતંત્ર વ્યવસાયની દિશામાં આગળ વધી ચુકી છે. કોઈ […]

Continue Reading

PGVCLના અધિકારીઓ સાથે બેઠક યોજી જામનગર જિલ્લાના વિજ પ્રશ્નોની કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોના નિરાકરણ માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ સહિત પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં મંત્રીને મળેલ લોકોની […]

Continue Reading

જામનગર એરફોર્સ દ્વારા ધોધમાર વરસાદના પૂરમાં ફસાયેલા સુતરેજના બે ખેતમજૂરોને એરલીફ્ટ કરી જીવતદાન આપ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયાં છે.ગત તા.1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉ.વ.30) અને […]

Continue Reading

જામનગરના વરસાદ પ્રભાવિત વિસ્તારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં આવ્યા છે. CM અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે […]

Continue Reading

જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પૂર્વવત કરવા મહાનગરપાલિકામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે તાકીદની બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 24 કલાકમાં જામનગર શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની રજૂઆતો મળતા મંત્રી રાઘવજીભાઈ પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ લોકોને પડી રહેલ હાલાકીનું નિવારણ લાવવા જામનગર મહાનગરપાલિકા ખાતે પાણીના નિકાલ સહિતની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે તાકીદની બેઠક […]

Continue Reading

જામનગરના ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા નિચાણવાળા વિસ્તારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે તાત્કાલિક સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ભારે વરસાદથી નીચેના નુકસાની થયેલા વિસ્તાર ગણાતા નારાયણનગર, મોહનનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા કરી છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે કામગીરી હાથ ધરવા તંત્રને સુચના પણ આપવામાં […]

Continue Reading

રાજ્ય સરકારે લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે જાહેર કરેલા સહાય પેકેજનો સમયગાળો લંબાવ્યો: કૃષિમંત્રી રાધવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે […]

Continue Reading