ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાની કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત તેવા છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થયેલ નુકસાન સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ત્રણ જિલ્લાઓ નો પ્રવાસ કરીને તે વિસ્તારના ખેડૂતો સાથે તેમના પ્રશ્નો સાંભળીને સંવાદ કર્યો હતો. આ વેળાએ ત્રણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રીને માહિતગાર કર્યા હતા.મંત્રી એ […]

Continue Reading

જામનગરમાં SP અને કમિશનરે રસ્તા ઉપર ઉતરી લાલ આંખ કરી, રખડતા ઢોર મુકનારની ખેર નથી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં વર્ષો જૂની ઢોરની સમસ્યા ને લઈને હવે એસપી, કમિશનર મેદાને ઉતર્યા છે. જાહેર રસ્તાઓ ઉપર બિલ્ડીંગો જમાવીને બેસતા ફેરિયાઓ તેમજ ખુલ્લામાં ઢોર મૂકી દેતા ઢોર માલિકો સામે તંત્ર આકરા પાણીએ છે. જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી આજે પોલીસ કાફલા તેમજ મહાનગરપાલિકાની એસ્ટેટ […]

Continue Reading

ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી.ના ડાયરેક્ટરોની વરણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં 8, માર્ચ 1968થી અવિરત સેવાઓ આપતી સહકારી સંસ્થા ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી. (અપના બજાર)ના વર્ષ 2022ની બોર્ડ ઓફ ડાયરેક્ટર ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે 15 સભ્યોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 6 સભ્યોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 9 સભ્યો […]

Continue Reading

બ્રેવો જામનગર : ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ LaQshya પ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshya પ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૦-૫-૨૦૨૨ અને તા.૧૧-૫-૨૦૨૨ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થીએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ LaQshya પ્રોગ્રામ હેઠળ જી.જી. […]

Continue Reading

જામનગર જિલ્લામાં 85% ખરીફ પાકોનું વાવેતર, 3.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં પણ વરસાદે મહેર કરતા વાવણીલાયક વરસાદ થયો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીનના 85 % જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 60 %થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે […]

Continue Reading

ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું શૌર્ય કૃતિઓ દ્વારા અદભૂત સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની પુર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા વંદે ગુજરાત રથનું સ્વાગત કરી તલવાર રાસ અને શોર્યગીતોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા. આ […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 61માં જન્મદિવસે ત્રિમંદિર પહોંચી દર્શન કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના 61માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના […]

Continue Reading

કાલાવડના ખરેડી ગામે પુર આવ્યું, કાર વહેણમાં તણાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : (હર્ષલ ખંધેડિયા) જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાલાવડ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકના ખરેડી ગામે વરસાદી પાણીના પૂર આવ્યા છે અને આ પૂરમાં કાર તણાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકમાં અગાઉ વરસાદની […]

Continue Reading

જામનગરમાં ગુરુપૂર્ણિમાના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુરુપૂર્ણિમાના શુભ અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય પ.પુ.શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, વડતાલના પ.પૂ. સ્વામી શ્રી ચતુર્ભુજદાસ, વડતાલના મહંત સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી […]

Continue Reading

Oppo India દ્વારા કરોડોની કસ્ટમ ડ્યુટી ચોરીનો પર્દાફાશ કરતું DRI

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી :  મેસર્સ ઓપ્પો મોબાઈલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (ત્યારબાદ ‘ઓપ્પો ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે), “ગુઆંગડોંગ ઓપ્પો મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન્સ કોર્પોરેશન લિમિટેડ”, ચીનની પેટાકંપની (ત્યારબાદ ‘ઓપ્પો ચાઈના’ તરીકે ઓળખાય છે) સંબંધિત તપાસ દરમિયાન, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ લગભગ રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી શોધી કાઢી છે. Oppo India સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ, […]

Continue Reading