જામનગરમાં કાળી ચૌદશની મધરાતે ભૂતનું પાન આરોગી યુવાનોએ અનોખો સંદેશ આપ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : દિવાળી પૂર્વે કાળીચૌદશની રાત્રે ભૂત પલીત અને મેલી વિદ્યા ફરતી હોય છે. આવી ગેરમાન્યતાઓ સામે જામનગરના યુવાનોએ કાળી ચૌદસના રાત્રીના 12 વાગ્યે ભૂતનું પાન આરોગીને આવી ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કર્યા છે. ખાણીપીણી માટે પ્રખ્યાત જામનગરના પાન પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જામનગરમાં વર્ષોથી પાનની દુકાનો ધરાવતા ભુત […]

Continue Reading

આર્યુવેદના કાશી ગણાતા જામનગરમાં ધનતેરસે ભગવાન ધનવંતરીજીનું પૂજન અર્ચન કરાયું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ધનતેરસને ભગવાન ધનવંતરીનો અવતરણ દિવસ માનવામાં આવે છે. એટલે ધન્વંતરી ત્રયોદશીના અવસર પર આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈ.ટી.આર.એ.) આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીજીના પ્રગટ્ય દિને તેમની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના નાયબ નિદેશક પ્રોફેસર વર્ષાબેન સોલંકી ડિન વૈદ્ય હિતેશ […]

Continue Reading

વડાપ્રધાન મોદી જામનગરને રૂપિયા 833કરોડથી વધુ વિકાસકામોના ઈ-લોકાપર્ણ ખાતમુર્હુત કરી આપશે ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાવનગર પહોંચી વર્ચ્યુઅલ મધ્યમથી જામનગર શહેર-જિલ્લાના રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી ભેટ આપશે. રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઇ-ખાતમુહૂર્ત અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર […]

Continue Reading

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હી : કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લગાવાશે. તેમ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા વારંવાર રદ થતી ફ્લાઈટ્સ અંગે લખવામાં આવેલા પત્રના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી આપી છે. કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખેલ મેદાનમાં રસ્સો ખેંચી, કબડ્ડી રમ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા પોતાના પતિની માફક રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે, અને તાજેતરમાં જામનગરની એક શાળામાં યોજાયેલા શાળાકીય ખેલ મહોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી […]

Continue Reading

ધ્રોલમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સમગ્ર ભારતમાં મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત જામનગરના ધ્રોલ ખાતે […]

Continue Reading

જોડિયાના કેશિયા ગામે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં 600ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જોડિયા તાલુકાના કેશિયા ગામમાં ‘હર ઘર તિરંગા’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ હેઠળ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 600 ફૂટના તિરંગા સાથે યોજાયેલ વિશાળ રેલી સૌના આકર્ષકનું કેન્દ્ર બની હતી. જોડિયા તાલુકાના કેશિયા ગામે 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ‘હર ઘર […]

Continue Reading

ગિરની સિંહ બેલડી જય અને વિરુ ભલે વિખૂટી પડી, પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે : પરિમલ નથવાણી 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ […]

Continue Reading

ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાના કમિશનરે લોકોની આસ્થા સાથે રમત રમી કોના ઇશારે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવાલયનું ડિમોલિશન કરાવ્યું…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલા જ દિવસે જંગલેશ્વર મહાદેવ મંદિર નું ડિમોલેશન કરાયા બાદ અવિવાદને લઈને ઢાક પીછોળો કરવા મહાનગરપાલિકાના કમિશનર અને શાસકોએ હવાતીયા મારી મંદિરના ટ્રસ્ટીઓને બોલાવી એન કેન પ્રકારે સમગ્ર મામલો થાળી પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અવારનવાર વિવાદોમાં રહેતું કોર્પોરેશન વધુ એક વિવાદમાં સપડાયું […]

Continue Reading

37.56 લાખ નવા MSMEની ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં નોંધણી, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને MSME મંત્રીનો પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હી : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (MSME) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779 MSME બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય MSME મંત્રી સુ શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના આ માહિતી આપી હતી. મંત્રીના નિવેદન અનુસાર, […]

Continue Reading