ધ્રોલ નજીક જાનની કાર અને એસટી વચ્ચે ગમખ્વાર અકસ્માત, કાર ચાલકનું મોત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગરના ધ્રોલ નજીક વરરાજા ની કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ જામનગર હાઇવે પર જાયવા નજીક આવેલ સાઈબાબાના મંદિર પાસે બપોરે 11:30 આસપાસ અકસ્માત સર્જાયો હતો.

રાજકોટ થી જામનગર ના ખીજડીયા તરફ આવતી વરરાજાની કાર GJ -3-LR -7716 અને GJ-18-Z-0450 નંબરની એસટી બસ વચ્ચે ધ્રોલ પાસે આવેલા જૈવા ગામના પાટીયા નજીકના સાઈબાબાના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ગમખ્વાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાઓને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટથી ખીજડીયા ગામે જતી જાનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં કાર ચાલક રાજુભાઈ નરશીભાઈ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે વરરાજા સહિત ત્રણ લોકોને પહોંચી ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *