સુપોષણ યોજનાના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાની નિયુક્તિ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વિરપુર : (ભાગ્યેશ ડોબરીયા)

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામધામના ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સુપોષણ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે.

પ્રજાવત્સલ અને હરહંમેશ નાના-મોટા સૌ લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત ગોરધનભાઈ ધામેલીયાને સરકારના આ સૂપોષણ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરાયા છે. ત્યારે તેઓ આ જવાબદારી પણ સૂપેરે નિભાવશે. તેવા આશાવાદ સાથે શુભેચ્છકો અને સ્નેહીઓ તરફથી ગોરધનભાઈ ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *