સપડા ડેમમાં ડૂબેલા 5 હતભાગીઓને મોરારીબાપુ દ્વારા સંવેદના સાથે સહાય અપાશે

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર તાલુકા સપડા ગામ પાસે આવેલ ડેમમાં પાંચ વ્યક્તિઓ ગઈકાલે નાહવા પડતા મૃત્યુ પામ્યા હતા . આજે રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા મૃતકોના પરિવારજનોને 15 – 15 હજારની સહાય પ્રસાદીરૂપે જાહેર કરવામાં આવી છે.

જામનગર તાલુકાના સપડા ગામે પાંચ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે તેને ચિત્રકૂટ ધામ તલગાજરડા હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે પૂજ્ય મોરારી બાપુ એ 15-15 હજાર સંવેદના સાથે મોકલાવ્યા છે. અને તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિવારજનો ને દિલસોજી પાઠવી છે.