લાલપુરના મેઘનુંગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનો દ્વારા સ્વાગત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ઠેર-ઠેર રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘનુંગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં 68 લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.

તેમજ, ”ધરતી કરે પુકાર : પ્રાકૃતિક કૃષિ” થીમ આધારિત નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસયો, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.