કાલાવડમાં લેઉવા પટેલ સમાજનો ૧૬મો સમુહ જ્ઞાતિ ભોજન તેમજ સન્માન સમારોહ સંપન્ન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ :

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો માટે કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજના નવનિર્માણાધિન સમાજ ભવનની જ્ગ્યામાં ૧૬ મો સમુહ ભોજન સમારંભ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું,

જેના અન્ન ભેગા તેના મન ભેગા.. સૂત્રને સાર્થક કરતા લેઉવા પટેલ સમાજ કાલાવડ ના સમૂહ જ્ઞાતિ ભોજન અને સન્માન સમારોહમાં ગુજરાત સરકાર ના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જામનગર દક્ષીણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, આ સમૂહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ માં સમાજ ભવનના પ્રમુખ ભરતભાઇ નાથાભાઇ ઠેસીયા તેમજ ટ્રસ્ટીઓમાં મનસુખભાઇ સાવલીયા, હિતેશભાઇ અકબરી, અરજણભાઈ સોજીત્રા, રાજુભાઈ નંદાણીયા, હિતેશભાઇ સાંગાણી, અમિતભાઈ અકબરી, છગનભાઈ ફળદુ દ્વારા નવનિર્માણાધીન સમાજ ભવનની જમીનના મુખ્ય દાતા વિનુભાઈ સવજીભાઈ વસોયા તથા ધીરુભાઈ વસોયા ( સહજાનંદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ – સુરત ) તેમજ ગીરીશભાઈ કથીરીયાનું અદકેરું સન્માન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં રમેશભાઈ સોજીત્રા, એ. ડી. ફળદુ, નિવૃત ડીવાયએસપી આર.ડી ફળદુ, નાનજીભાઈ ચોવટીયા, ભોલાભાઈ એલ. ફળદુ, પરસોત્તમભાઈ એન. ફળદુ, વેલજીભાઈ સભાયા, રાજુભાઈ વાદી, જે. ટી. પટેલ તેમજ વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ ગ્રુપના સાથ – સહયોગથી અનેરો કાર્યક્રમ સંપન્ન થયેલ તેમજ આ કાર્યક્રમમાં મંત્રીઓ તેમજ સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વસતા લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો કાલાવડના આંગણે નિર્માણ પામી રહેલા સમાજ ભવનમાં પણ તન, મન અને ધનથી સહકાર આપી રહ્યા છે. ત્યારે ઉપસ્થિત મહાનુભાવો એ સમાજની એકતા અખંડિતતા જાળવી રાખવા તેમજ નવા સીમા ચિન્હો અન્ય સમાજને પ્રેરણા રૂપી કેળિઓ કંડારવા આહ્વાન કર્યું હતું.