જામનગરના નવાગામ ઘેડમાં ભાજપના કાર્યાલય ઉદ્ઘાટનમાં જય ભવાની સાથે ઉગ્ર વિરોધ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જ ભાજપ સામે રાજપૂત સમાજનો વિરોધ ઉગ્ર બની બહાર આવી રહ્યો છે. આ વિરોધની આગ રાજકોટના નિવેદનને લઈને જામનગરમાં પણ બરોબરની જામી હોય તેમ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે રાજપૂત સમાજના લોકોએ જય ભવાનીના નારા સાથે ઉગ્ર વિરોધ દેખાડતા જોયા જેવી થઈ છે.

જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં ભાજપના વોર્ડ નંબર 4 ના ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે જ રાજપૂત સમાજના લોકો જય ભવાનીના નારા સાથે ધસી આવ્યા હતા અને ઉદ્ઘાટન પહેલા બરોબરના નેતાઓને બાન માં લઈ નારાઓ પોકાર્યા હતા.

જો કે, આ વિરોધ દરમિયાન પોલીસ પણ ઉગ્ર વિરોધને રોકી શકી ન હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. જે હાલ જામનગરમાં પણ જોવા મળી રહ્યો છે.