કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતેદાર ખેડૂતોના વારસદારોને 11 લાખના સહાય ચેક અર્પણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં ‘સહાય ચેક વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો. કેબિનેટ મંત્રીના હસ્તે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ. ૧૧ લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ […]

Continue Reading

જામનગરની ડીકેવી કોલેજ અને જી. એચ. ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી.નાગડા બી. બી. એ. કોલેજ ખાતે કાર્યક્રમોની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત સેલ્ફી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનની જામનગરની કોલેજોમાં ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગરની ડીકેવી કોલેજ અને જી. એચ. ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી.નાગડા બી. બી. એ કોલેજ ખાતે પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં […]

Continue Reading

જામનગર જિલ્લાની 126 ગ્રામપંચાયતોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ગામે ગામ મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના ૧૨૬ ગામડાઓમાં અભિયાનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના ૩૧, ધ્રોલ તાલુકાના ૧૦, જોડિયા તાલુકાના ૧૨, કાલાવડ તાલુકાના ૨૬, લાલપુર તાલુકાના ૨૧ અને […]

Continue Reading

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે,વર્ષીય બાળકીને અમેરિકન દંપતીએ દત્તક લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજે ઘણા બાળકોને પરિવારની જરૂરિયાત છે દત્તકવિધાનથી આવા બાળકને સુવર્ણ ભવિષ્ય અને દંપત્તિને સંતાન સુખ મળે છે-સ્ટીવન વોઈટ અંદાજે અઢી વર્ષ પહેલા કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી જામનગર જિલ્લા પોલીસને એક નવજાત બાળકી મળી આવેલ. જામનગર પોલીસે રાત-દિવસ એક કરી આ બાળકીના માતા પિતાની શોધ આદરી અને બાળકીના માતા-પિતા […]

Continue Reading

જામનગરના મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટૂંકા વસ્ત્રો નહિ પહેરવા આહ્વાન કરતાં બોર્ડ લગાવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા હિન્દુ મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી ન શોભે તેવા ટૂંકા વસ્ત્રો ન પહેરીને મંદિરોમાં પ્રવેશ કરતા લોકોને પૂરતા અને સનાતન હિંદુ સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરી પ્રવેશ માટે અનુરોધ કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જામનગરના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી […]

Continue Reading

જામનગરના સૌ નાગરિકોને મેરી માટી મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટરની અપીલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે મેરી માટે મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ વિશેની ઝીણવટ ભરી માહિતી આપી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના આહવાનને અનુલક્ષીને આગામી સ્વાતંત્ર્ય પર્વના રાષ્ટ્રીય પર્વ અંતર્ગત મેરી માટી મેરા દેશ તથા ઘર ઘર […]

Continue Reading

‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન ‘ અભિયાન અંતર્ગત જામનગર તાલુકાનાં 50 ગામોમાં પાંચ કાર્યક્રમોની ઊજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજથી સમગ્ર દેશમાં ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર  વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત આજે જમનગર તાલુકાના ઢીચડા, ફલ્લા, […]

Continue Reading

મારી માટી, મારો દેશ, માટીને નમન વિરોને વંદન, જામનગરની SVET કોલેજમાં વૃક્ષારોપણ અને પંચપ્રણ પ્રતિજ્ઞાનો કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશભરમાં આજથી મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન અભિયાન શરૂ થયું છે. ત્યારે જામનગરમાં આવેલ SVET કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રની એકતા અને એકસુત્રતા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં અમૃતકાળના પાંચ પ્રણ વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા, ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા […]

Continue Reading

કાલાવડ તાલુકાની ગ્રામ પંચાયતોમાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આજથી મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન અભિયાન અંતર્ગત તમામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં શીલાફલકમ, વીર વંદના, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન અને ધ્વજ વંદનના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. કાલાવડ તાલુકાની મકાજી મેઘપર, મોટી ભગેડી, મોટી માટલી, નાગાજર સહિત ૨૭ ગ્રામપંચાયતોમાં મુખ્ય પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

Continue Reading

રિલાયન્સે ઝાંખર ગામના મુક્તિધામને જીર્ણોદ્ધાર કરી જનસેવામાં સમર્પિત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા ઝાંખર ગામના મુક્તિધામ સંકુલનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરીને ગ્રામજનોને સુપરત કરાયું છે. ઝાંખર ખાતેનું આ મુક્તિધામ (સ્મશાન) સંકુલ અગાઉ અત્યંત જર્જરિત હાલતમાં હતું. આ અંગે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રુ. 72 લાખના ખર્ચે આ સંકુલનું નવનિર્માણ […]

Continue Reading