રાજ્યપાલ અને આરોગ્ય મંત્રીનું જામનગર એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આજે જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

રાજ્યપાલના સ્વાગતમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર બી. એ. શાહ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર સચિન ખેંગાર, આસિસ્ટન્ટ મેનેજર પ્રશાંત મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.