મુખ્યમંત્રીના પુત્ર અનુજને મુંબઈ ખસેડાયા, જામનગર સહિત CM ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરાયા

ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ કરાયો રદ થયો છે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદમાં સારવાર અપાયા બાદ આજે મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. જેને લઇને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સુપુત્ર ની નાદુરસ્ત તબિયત ના કારણો સર જામનગર ખાતે આજે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી ના વિવિધ કાર્યક્રમો માં ઉપસ્થિત રહી શકશે નહિ.

ગુજરાત ગૌરવ દિવસ ના જામનગરના આ કાર્યક્રમો માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઇ પટેલ સહભાગી થશે.