બિપરજોય’ વાવાઝોડાને પગલે જામનગર બંદર પર 10 નંબરનું સિગ્નલ યથાવત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, આગામી સુચના ન મળે ત્યાં સુધી જામનગર બંદર પર ગ્રેટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ 10 (GD- 10) યથાવત રાખવામાં આવ્યું છે.

જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને નોંધ લેવા માટે બંદર અધિકારી, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.