જામનગરમાં લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રા નીકળી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં તિરંગા યાત્રા ને જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર ડી. એન મોદી, ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની, કલેક્ટર બીજલ શાહ, એસ.પી પ્રેમસુખ ડેલૂ, ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા , મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા વિજયસિંહ જેઠવા મેરામણભાઇ ભાટુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, ચીફ ફાયર ઓફિસર કે.કે બીશ્નોઈ, ઇડીપી મેનેજર મુકેશભાઈ વરણવા સહિતના જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ કોર્પોરેટરઓ દ્વારા તિરંગા યાત્રાને લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના બાળકો, આઈએનએસ નેવી વાલસુરા, જામનગર ફાયર એકેડેમી આર્મી ના જવાનો હોમગાર્ડ પોલીસ વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળા પ્રમાણમાં નગરજનો જોડાયા હતા.