ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મુંબઈ :
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ત્યાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ખાસ પધરામણી કરી હતી.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ મહારાજશ્રીનું સ્વાગત અને અભિવાદન કરીને અને તેમની પાદુકાઓની પૂજા કરીને શંકરાચાર્યજી પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એ ગાયનું રક્ષણ, આતંકવાદીઓથી દેશની સુરક્ષા જેવા ઘણા વિષયો પર શંકરાચાર્યજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
