આલે લે, ડિમોલેશન દરમ્યાન જામનગરમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામમાં બાથટબ સહિત લક્ઝરીય સુવિધા સામે આવી…!!!

ક્રાઈમ ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરના બચુનગરના મેગા ડિમોલેશન દરમિયાન ધાર્મિક સ્થળમાં ઉભી કરાયેલી લક્ઝરીયસ સુવિધા હોવાનું સામે આવ્યું છે.૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી.

આ ધાર્મિક સ્થળમાં કોઈ રકમ સ્વીકારવાની મનાઈ છતાં લકઝરીયસ સુવિધા ઉભી કરવા નું ફંડ ક્યાંથી આવ્યું ? તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તેવામાં મૂંઝાવર પણ નાસી છૂટ્યો છે.

જામનગરના બચુ નગર વિસ્તારમાં ધાર્મિક સ્થળનું પણ બિનઅધિકૃત બાંધકામ જોવા મળ્યું હતું, અને અંદાજે ૧૧,૦૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં ધાર્મિક સ્થળનું બાંધકામ કરવામાં આવ્યું છે, જે ની અંદર એસ.પી. પ્રેમસુખ ડેલુ અને તેઓની ટીમ નિરીક્ષણ કરવા માટે ગઈ હતી, ત્યારે અંદર લક્ઝરીયસ સુવિધાઓ વગેરે નિહાળીને પોલીસ તંત્ર પણ અચંબીત બન્યું હતું, ઉપરાંત આ સ્થળે કોઈપણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવતા નથી, તેવી લેખિત જાહેરાત કરાયેલી છે. તેમ છતાં આટલા મોટા લક્ઝરીયસ બાંધકામ માટે ફંડ ક્યાંથી આવ્યું ?

જામનગરના બચુ નગર વિસ્તારમાં ‘યા મિસ્કીને નવાજ’ નામની મજાર શરીફ આવેલી છે, જે અંદાજે ૧૧,૦૦૦ ચોરસ ફુટ જેટલી સરકારી જગ્યામાં ધાર્મિક સ્થળ નું બાંધકામ કરાયેલુ છે. આ મજાર શરીફ માં કોઈ પણ પ્રકારના પેટી પટારા રાખવામાં આવ્યા નથી, તેમજ અહીં પૈસા રાખવાની મનાઈ છે. અને આ શહેનશાહના દરબારમાં માત્ર ભીખ માંગવા આવે છે, પરંતુ ભીખ દેવા નહીં, જેવા સૂત્રો લખીને કોઈપણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવતા ન હતા. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને અન્ય પોલીસ ટુકડીએ નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન મજાર શરીફમાં અનેક લકઝરીયસ સુવિધા જોવા મળી હતી. આ ઉપરાંત કલરફુલ અને આકર્ષક ટાઇલ્સ અને માર્બલ જડેલા સંખ્યાબંધ રૂમ આવેલા હતા.

જયારે મજારમાં અલગથી સ્પેશિયલ રૂમ બનાવેલો હતો, જેમાં અત્યાધુનિક સ્વિમિંગ બાથ ટબ પણ બનાવેલો જોવા મળ્યો હતો, જેમાં બાથ ટબ વાળા રૂમના દરવાજા પર અલગથી નોટિસ લગાવેલી હતી, અને કોઈપણ પ્રકારના બહારની વ્યક્તિને તેમાં પ્રવેશ અપાતો ન હતો, ઉપરાંત વિશેષ સૂચના પણ લખવામાં આવી હતી, કે આ રૂમની અંદર રજા સિવાય કોઈપણ વ્યક્તિએ આવવાની સખત મનાઈ છે. જ્યાં એક સૂત્ર એવું પણ લખેલું હતું, કે “યાદ હૈ તો આબાદ હૈ, ભૂલ ગયે તો બરબાદ હૈ” જેનો અર્થ શું કાઢવો?

આ સ્થળે કોઈપણ પ્રકારની રકમ સ્વીકારવામાં આવતી નથી તો આટલો મોટો ખર્ચો કરીને આ મજારશરીફ કઈ રીતે ઊભી થઈ, અને તેની પાછળ કોનું ફંડિંગ છે, તે પણ તપાસનો વિષય બન્યો છે. અને હાલમાં મજારના મૂંઝાવર લાપતા બન્યા હોવાથી પોલીસ તંત્ર તેઓને શોધી રહ્યું છે.