શ્રી 5 નવતનપુરીધામમાં કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની ઉપસ્થતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે.

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ભાવભર ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારે કૃષ્ણપ્રણામી ધર્મના મુખ્ય પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સદગુરુ દેવચંદ્રજી મહારાજની પૂજા અર્ચના કરી ત્યારબાદ ગાદી પર બિરાજમાન થયા હતા અને ભાવિકોએ ગુરુપૂર્ણિમાએ તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *