જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ નીકળતી શોભાયાત્રા આ વર્ષે પણ નીકળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા ટીમના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલે, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિજયભાઈ બાબરીયા, વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના સૌરાષ્ટ્ર પ્રાંત સદસ્ય હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિનીના સંયોજિકા અને સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારિણી કૃપાબેન લાલ, જામનગરના સહમંત્રી પ્રફુલ્લાબેન અગ્રાવત, રેખાબેન લાખાણી સહિતના વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત બજરંગ દળના ઝીલ ભારાઈ અને અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજ તેમજ હિંદુ સમાજને પરશુરામ જયંતિ ની શુભેચ્છા પાઠવી હતી.