જામનગરમાં 120 માઇક્રોન સિવાયના પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાહી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર શહેરમાં ર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ગઈકાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા સુચના આપવામાં આવી છે.

જામનગરમાં ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ- 19 ધંધાર્થી /વેપારીઓ પાસેથી 12 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવેલ, તેમજ રૂા.9400/- નો દંડ વસુલ લેવામાં આવેલ.

આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ / દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ / વિક્રેતાઓ / ધંધાર્થીઓ / દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા ધ્વારા તાકીદ કરવામાં આવે છે.