જામનગરમાં રાજકોટ રેન્જ આઇ.જી દ્વારા 160 તાલીમાર્થીઓનો પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દિક્ષાંત સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં રાજકોટ રેજ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે 160 તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં જામનગર જિલ્લાના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈજી અશોક કુમાર યાવે ઉપસ્થિત રહી દીક્ષાંત સમારોહ અંતર્ગત પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.

દિક્ષાંત પરેડમાં તાલીમાર્થીઓએ કર્યો સારો દેખાવ કર્યો હતો જેને રાજકોટ રેજના આઈ.જી એ તાલીમાર્થીઓએ લોકોની સેવા કાજે સપથ લેતા સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા આ તકે જામનગર એસ.પી પ્રેમસુખ ડેલૂ અને જામનગર પોલીસના વિવિધ ડિવિઝનના અધિકારી અને પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.