“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં […]

Continue Reading

ભાણવડમાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત, ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહારો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો […]

Continue Reading

જામનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીનું આગમન, આ રહ્યો 19 નવેમ્બર સુધીનો કાર્યક્રમ…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજનું જામનગરને આંગણે આગમન થયું છે. અમેરિકા અક્ષરધામ અને દુબઇ – અબુધાબી મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે. ત્યારે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી જામનગરમાં આગામી 19 નવેમ્બર સુધી […]

Continue Reading

કાલાવડ પંથકમાં કમોસમી વરસાદમાં વીજશોકથી 3 લોકોના મોત, ભારે ગમગીની

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા ડુંગરાણી દેવડીયા ગામે કમોસમી વરસાદ પડતા મગફળી નો ભૂકો સરખો કરી રહેલા રવજીભાઈ જેસાભાઇ રોલા નામના 67 વર્ષીય વૃદ્ધ અને તેમના પત્ની સવિતાબેન રવજીભાઈ રોલા ઉપરાંત તેમને ત્યાં મજૂરી કરી રહેલા બુધા ધીરુભાઈ વાજડીયા નામના 28 વર્ષીય યુવાનનું વીજ વાયર તૂટવાના કારણે વીજ શૉક […]

Continue Reading

જામનગરમાં કાળી ચૌદશની મધરાતે ભૂતનું પાન આરોગી યુવાનોએ અનોખો સંદેશ આપ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : દિવાળી પૂર્વે કાળીચૌદશની રાત્રે ભૂત પલીત અને મેલી વિદ્યા ફરતી હોય છે. આવી ગેરમાન્યતાઓ સામે જામનગરના યુવાનોએ કાળી ચૌદસના રાત્રીના 12 વાગ્યે ભૂતનું પાન આરોગીને આવી ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કર્યા છે. ખાણીપીણી માટે પ્રખ્યાત જામનગરના પાન પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જામનગરમાં વર્ષોથી પાનની દુકાનો ધરાવતા ભુત […]

Continue Reading

વડાપ્રધાન મોદી જામનગરને રૂપિયા 833કરોડથી વધુ વિકાસકામોના ઈ-લોકાપર્ણ ખાતમુર્હુત કરી આપશે ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાવનગર પહોંચી વર્ચ્યુઅલ મધ્યમથી જામનગર શહેર-જિલ્લાના રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી ભેટ આપશે. રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઇ-ખાતમુહૂર્ત અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખેલ મેદાનમાં રસ્સો ખેંચી, કબડ્ડી રમ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા પોતાના પતિની માફક રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે, અને તાજેતરમાં જામનગરની એક શાળામાં યોજાયેલા શાળાકીય ખેલ મહોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી […]

Continue Reading

ધ્રોલમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સમગ્ર ભારતમાં મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત જામનગરના ધ્રોલ ખાતે […]

Continue Reading

જોડિયાના કેશિયા ગામે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં 600ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જોડિયા તાલુકાના કેશિયા ગામમાં ‘હર ઘર તિરંગા’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ હેઠળ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 600 ફૂટના તિરંગા સાથે યોજાયેલ વિશાળ રેલી સૌના આકર્ષકનું કેન્દ્ર બની હતી. જોડિયા તાલુકાના કેશિયા ગામે 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ‘હર ઘર […]

Continue Reading

ગિરની સિંહ બેલડી જય અને વિરુ ભલે વિખૂટી પડી, પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે : પરિમલ નથવાણી 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ […]

Continue Reading