8 વર્ષથી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર લંપટ આચાર્ય મનીષ બુચ વડોદરાથી ઝડ્યા બાદ 6 દિવસના રિમાન્ડ પર, અગાઉ આ નોંધાઈ છે ફરિયાદ જુઓ…

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા 15 વર્ષની સગીરા વિદ્યાર્થીની પર તેની શાળા ના આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી ફરિયાદને લઈને જામનગર પોલીસ દ્વારા આચાર્ય મનીષ બુચનો કબજો વડોદરા થી મેળવી જામનગરના સ્પેશિયલ પોક્સકો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની દલીલોને ધ્યાને લઈ ગંભીર ગુના ને અનુસંધાને કોર્ટે પણ સમાજમાં કલંકરૂપ આ ઘટનાને ગણી પીડિતા અને પીડિતાના પરિવારને ન્યાય મળે તે હેતુથી તારીખ 24 એપ્રિલ 2023 બપોરે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરતા મનીષ બુચને પોલીસ જાપ્તા વચ્ચે પોલીસ કસ્ટડીમાં લઈ જવાયો છે.

પૂર્વ આચાર્ય મનીષ બુચ સામે અગાઉ એ જ શાળામાં  TATના પેપર લીક કૌભાંડમાં પણ નોંધાયેલી છે ફરિયાદ

જામનગરની પોશ વિસ્તારમાં આવેલી સત્યસાઈ સ્કૂલમાં વર્ષ 2019માં જાન્યુઆરીમાં લેવાયેલ ટાટની પરીક્ષા દરમિયાન કેન્દ્ર સંચાલક તરીકે જે તે સમયના આચાર્ય મનીષ બુચ ફરજ પર હતા તે દરમિયાન જ પરીક્ષાર્થીઓએ શાળાના સીલ ટુટેલા પેપર આવતા હોબાળો મચાવ્યો હતો અને શિક્ષણ વિભાગ પણ સમગ્ર ઘટનાક્રમને લઈને હરકતમાં આવ્યું હતું. અંતે તે સમયના ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી બીનાબેન દવે પણ દોડી આવ્યા હતા અને મોડી રાત્રે 28, જાન્યુઆરી, 2019માં 5 નંબરના કેન્દ્ર સંચાલક મનીષ બુચ સામે પરીક્ષામાં બેદરકારી દાખવા અને પેપરના બંચના સીલ ખુલેલા મળ્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાક્રમ બાદ હાલ મનીષ બુચ કે, જે જામનગરની ભાગોળે આવેલ લાખાબાવળ પાસેની એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં કેમ્પસ ડાયરેક્ટર એટલે કે, મહત્વની પોસ્ટ ઉપર ફરજ બજાવતા હતા. તેવામાં પૂર્વ શાળાના વિદ્યાર્થીની એ જ આઠ વર્ષથી અવારનવાર જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા શારીરિક શોષણ કરી દુષ્કર્મ ગુજારવા અંગેની આપવીતી વર્ણવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

વડોદરામાંથી પોલીસે ઝડપી રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ પર…

જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકે 10 એપ્રિલ, 2023માં સત્ય સાઈ સ્કૂલની એક વિદ્યાર્થીનીએ પોતાના જ આચાર્ય મનીષ બુચ સામે પોતા પર અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે આપતી વર્ણવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

આ ગુનો નોંધાતા જ મનીષ બુચ કે જેમના પર સંગીન આરોપ લાગ્યો હતો તે જામનગર છોડી પલાયન થઈ ગયા હતા. અને મનીષ બુચને વડોદરાથી પીસીબી દ્વારા 18 એપ્રિલના અટકાયત કરવામાં આવી હતી. બાદમાં જામનગરમાં લાવવા 19 એપ્રિલે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ વાઘેલા સવારે પહોંચી ગયા હતા અને સાંજે જામનગરમાં લાવી સ્પેશિયલ પોકસ્કો કોર્ટમાં રજૂ કર્યા હતા. જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરાતા જજ દ્વારા આગામી તારીખ 24, એપ્રિલ 2023 સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મહત્વની વાત એ છે કે, આઠ વર્ષ દરમિયાન અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મનીષ બુચ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ પણ તેના ઉપર જે સંગીન આરોપ લાગ્યો છે. જેને લઈને શિક્ષણ જગત અને વિદ્યાર્થી જગતમાં પણ ભારે ચર્ચા જાગી છે. તો બીજી તરફ સંગીતના શોખીન અને સંગીન ગુનામાં જેને પોલીસે ઝડપી પાડ્યા છે તેવા લંપટ આચાર્ય મનીષ બુચે અન્ય કેટલા સાથે આ પ્રકારના કૃત્યો કર્યા છે ? કે કેમ ? તે પણ એક તપાસનો વિષય છે. પરંતુ શિક્ષણ ધામમાં જ જેના પર શિક્ષણ આપવાનો ગુરુ તરીકેનો હક હોય તેવા વ્યક્તિ મેલી મુરાદ પાર પાડે અને કુમળી વયની વિદ્યાર્થીની પર નજર બગાડે તે પણ એક શરમજનક ઘટના કહેવાય.

બહુ ચર્ચાસ્પદ વિદ્યાર્થીની દુષ્કર્મકાંડમાં અંતે વડોદરાથી ઝડપાયેલા લંપટ આચાર્ય મનીષ બુચને છ દિવસના રિમાન્ડ પર સોંપાતા પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ કેટલીક ચોકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી શકે છે. ત્યારે આ ઘટનાને લઈને જામનગર અને સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જાગી છે.