વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ.દેવપ્રસાદજી મહારાજની જન્મદિને શુભેચ્છા મુલાકાત 

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સંત, સુરા અને ભક્તોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના છોટી કાશી એવા જામનગરમાં આવેલા પરોપકારી આણંદાબાવા સેવા સંસ્થા ના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજના 74માં જન્મદિવસ નિમિત્તે ગોપાલ ભુવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા અને જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા અને આણંદાબાવા સેવા સંસ્થા સેવા સંસ્થાના ટ્રસ્ટી કિશોરભાઈ સંઘાણી દ્વારા પુષ્પહાર અર્પણ કરી વંદના સાથે પૂ.દેવપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી.